ભૂતપૂર્વ સ્પિનર દિલીપ દોશીનું લંડનમાં અવસાન
ભૂતપૂર્વ સ્પિનર દિલીપ દોશીનું લંડનમાં અવસાન
Blog Article
ભારતના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર દિલીપ દોશીનું સોમવાર, 23 જૂને લંડનમાં હૃદયરોગના હુમલાથી 77 વર્ષની વયે અવસાન થયું હતું. દિલીપ દોશીના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ સમુદાયે શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી.1947માં રાજકોટ ખાતે જન્મેલા દિલીપ દોશીને 32 વર્ષની વયે ભારત માટે ટેસ્ટ રમવાની તક મળી હતી અને તેમણે પોતાની પહેલી જ ટેસ્ટમાં ચેપોક ખાતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટ ખેરવી દીઘી હતી.